વહેલું શરું થતું બાળમંદિર (Early Start Kindergarten) - ગુજરાતી (Gujarati)

જો તમે શરણાર્થી અથવા આશ્રય ઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવતાં હોવ તો, તમે વહેલાં શરું થતાં બાળમંદિર (ઇએસકે)ને પાત્ર હોય શકો છો. ઇએસકે સુનિશ્ચિત કરે છે કે, તમે તમારા બાળક માટે દર અઠવાડિયે શક્ય મહત્ત્મ કલાકો માટે નિઃશુલ્ક બાળમંદિર કાર્યક્રમ મેળવી શકો.

૨૦૨૩માં ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિરના કાર્યક્રમો દર અઠવાડિયે ૫થી ૧૫ કલાકો માટે અને ચાર-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિર કાર્યક્રમો ૧૫ કલાક માટે છે. ઇએસકે દ્વારા દાખલો કરાવવાથી ત્રણ-વર્ષની વયના અને ચાર-વર્ષની વયના, બંને બાળમંદિર કાર્યક્રમોમાં દર અઠવાડિયે પૂરાં ૧૫ કલાક બાંયધરી મળે છે. તે એવા બાળકો માટે ઉપલબ્ધ છે જે:

  • શરણાર્થી અથવા આશ્રર્યઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવે છે
  • એબોરિજીનલ અને ∕ અથવા ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર તરીકે ઓળખાય છે
  • જેમના પરિવારો બાળ સુરક્ષાના સંપર્કમાં આવ્યા છે

તે ચાલી રહેલ હોય તે સમય દરમ્યાન વિક્ટોરિયામાં ગમે ત્યાં રહેતા હોય તો પણ આ બાળકો દર અઠવાડિયે ૧૫ કલાક નિઃશુલ્ક બાળમંદિર જઇ શકે છે. તમને અત્યારે જે મળે છે અને જે કલાકો છે તેમાં કોઇ ફરક પડશે નહિં.

અરજી કેવી રીતે કરવી:

ઇએસકે લાયક શિક્ષક દ્વારા પ્રદાન થતાં દરેક બાળમંદિર કાર્યક્રમમાં ઉપલબ્ધ છે. તમારા નજીકના બાળમંદિરનો સંપર્ક કરીને અને તેમને અર્લિ સ્ટાર્ટ કિંડર ગ્રાન્ટનો ઉપયોગ કરવા કહીને તમે તમારા બાળકનો દાખલો કરાવી શકો છો. બાળમંદિર સેવાઓ તમારી ભાષામાં તમને સહાય કરવા નિઃશુલ્ક ભાષાંતર સેવા મેળવી શકે છે.

તમે પણ સહાય માટે શિક્ષણ ખાતાની ત્રણ-વર્ષની વયના માટેના કિંડરગાર્ટન પુછપરછ રેખાનો ૧૮૦૦ ૩૩૮ ૬૬૩ પર અથવા તમારી સ્થાનિક કાઉન્સિલનો સંપર્ક કરી શકો છો. તમારી ભાષામાં મદદ માટે તમે રાષ્ટ્રીય અનુવાદ અને દુભાષિયા સેવાને ૧૩૧ ૪૫૦ પર ફોન કરીને દુભાષિયાને તમારી સ્થાનિક કાઉન્સિલને અથવા શિક્ષણ ખાતાને ફોન કરવા કહી શકો છો, અને તે દુભાષિયો તમારી સાથે ફોન પર રહીને ભાષાંતર કરશે.

અરજી ક્યારે કરવી:

જો બાળકો તેમનો જે વર્ષે કિંડરમાં દાખલો થયો હોય તે વર્ષે ૩૦ એપ્રિલ પહેલાં ત્રણ વર્ષનાં થાય તો તેઓ ઇએસકે માટે યોગ્ય છે. જુઓ 'દાખલો ક્યારે લેવો'.

તમારું બાળક તે પાંચ વર્ષનું થાય ત્યારે કે છ વર્ષનું થાય ત્યારે શાળા શરુ કરે તે તમે નક્કી કરી શકો છો. ત્યારબાદ, તેઓ ત્રણ વર્ષના કે ચાર વર્ષના થાય તે વર્ષે તેઓ ઇએસકે મેળવી શકે છે.

જો તમારે તમારું બાળક ઇએસકેને પાત્ર ક્યારે થશે તે નક્કી કરવા સહાયની જરૂર હોય તો, તમે શિક્ષણ ખાતાંનો, તમારી સ્થાનિક કાઉન્સિલનો, તમારી માતૃ-શિશુ સ્વાસ્થ્ય પરિચારીકાનો કે તમારા વિસ્તારના એક બાળમંદિરનો અથવા તમારા વિસ્તારમાં નીચેની કોઇ એક સંસ્થાનો સંપર્ક કરી શકો છો.

  • ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિરની પૂછપરછ સેવા ૧૮૦૦ ૩૩૮ ૬૬૩
  • બ્રધરહુડ ઓફ સેન્ટ લોરેન્સ ૦૩ ૯૪૮૩ ૧૧૮૩
  • ફાઉન્ડેશન હાઉસ ૦૩ ૯૩૮૯ ૮૯૦૦
  • એફકેએ ચિલ્ડર્ન્સ સર્વિસીસ ૦૩ ૯૪૨૮ ૪૪૭૧
  • વીઆઇસીએસઇજી ન્યુ ફ્યુચર્સ ૦૩ ૯૩૮૩ ૨૫૩૩

Updated